ચાલતી પટ્ટી


"ગૃહ શાંતિ,કુંપધરાવવો,લગ્ન,વાસ્તુ,પિતૃદોષ,સત્યનારાયણ ભગવાનની કથા,રાંદલ માતાજીના લોટા,શ્રાધ્ધ,નારાયણ બલી તેમજ અન્ય પૂજા પાઠ કે કર્મ કાંડને લગતી તમામ વિધી માટે સંપર્ક કરો.દિલીપભાઇ ત્રિવેદી - M.94286 21674"
ૐ ભુર્ભુવ: સ્વ: તત્સ સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ: ધિયોયોન: પ્રચોદયાત"

28 ઑક્ટોબર, 2016

ધનતેરસ 2016: વિશિષ્ટ યોગો બનાવી રહ્યાં છે આ દિવસને અતિ શુભ, શું કરશો ખરીદી ? જાણો…

દીપોત્સવી પર્વના શુભદિન કહેવાતાં પાંચ દિવસો જ્યારથી શરુ થાય છે એ દિવસ છે ધનતેરસ… ધનની વાત આવે એટલે સૌને આકર્ષે એ તો ખરું જ, માનવી પૈસા કમાવા માટે સવારથી સાંજ અને રાતે પણ દોટ મુકે છે, તે પૈસા સાથે સંકળાયેલ લક્ષ્મીજીને રીઝવવાનો દિવસ છે, ધનતેરસ… સાથે આ દિવસનો અલગ અને આગવો દિનમહિમા પણ છે. ભારતભરમાં ધામધૂમથી ઉજવાતા આ દિવસ પ્રસંગે કેટલું વધુ જાણીએ. સૌપ્રથમ ધનપૂજનના મુહૂર્તો જોઇએ.

વૈદ્ય-તબીબો કરશે ધન્વંતરિ પૂજન

કહેવાય છે કે ધનતેરસના દિવસે, દેવ-દાનવોના સમુદ્રમંથનમાંથી માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. આ દિવસે એટલે જ વૈદ્યો-ડોક્ટરો દ્વારા સામૂહિક અને વ્યક્તિગત ધોરણે ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે અને નવા વર્ષ માટે સૌની સ્વાસ્થ્યકામના વાંછવામાં આવે છે. ભગવાન ધન્વંતરિને નારાયણ વિષ્ણુનું જ એક સ્વરુપ માનવામાં આવે છે. તેમને ચાર ભૂજાઓ છે તેમણે બે ભૂજામાં શંખ અને ચક્ર ધારણ કરેલાં છે અને બે ભૂજામાં ઔષધિઓ સાથે અમૃત કળશ લીધેલાં છે. માનવામાં આવે છે કે અમૃત કળશ પિત્તળનો બનેલો છે કારણ કે ભગવાન ધન્વંતરિને પિત્તળની ધાતુ અતિપ્રિય છે. આ કારણે જ ધનતેરસના દિવસે સોના કરતાં વધુ પિત્તળની ખરીદીને શુભ માનવામાં આવી છે.

ખરીદો પિત્તળ ચાંદી અને સોનુ

ધનતેરસે ખરીદાયેલી વસ્તુ લાંબો સમય ચાલે છે અને શુભફળ આપતી હોવાનું માનવામાં આવે છે ત્યારે શાસ્ત્રજ્ઞોની સલાહ છે કે આ દિવસે પિત્તળ ખરીદવામાં આવે તો તેનું તેરગણું ફળ મળે છે. ઉલ્લેખનીય છે કે પિત્તળની ધાતુ તાંબુ અને જસતના મિશ્રણથી કરવામાં આવે છે. વૈદિક ધર્મની પૂજાઅર્ચનામાં પહેલેથી જ પૂજાપાઠ અને ધાર્મિક કર્મમાં પિત્તળના વાસણો જ ઉપયોગમાં લેવામાં આવે છે.

મહાભારતમાં એક પ્રસંગ આલેખાયેલો છે કે સૂર્યદેવે દ્વૌપદીને પિત્તળનું અક્ષયપાત્ર વરદાનરુપે આપ્યું હતું તેની વિશેષતા એ હતી કે દ્વૌપદી ગમે એટલી સંખ્યામાં લોકોને ભોજન કરાવે પણ ભોજન ઘટતું ન હતું.

ધનતેરસે લોકો વાસણો પણ ખરીદે છે. તેમાં ચાંદીની ખરીદીને પણ શુભ માનવામાં આવે છે કારણ કે ચાંદી ચંદ્રમાનું પ્રતીક છે અને ચંદ્ર પોતે શીતળતાનું. માટે ચાંદી ખરીદવાથી મનમાં સંતોષરુપી ધનનો વાસ થાય છે અને જેની પાસે સંતોષરુપી ધન છે તે પાસે સંતોષરુપી ધન છે તે સાચા અર્થમાં સ્વસ્થ, સુખી અને ધનવાન છે.

આ દિવસે પોતાનું ઘર એકદમ ચોખ્ખુંચણાક, સ્વચ્છ હોય તે માટે બધો નકામો કચરો કાઢી નાંખવામાં આવતો હોય છે. આ દિવસે ઘરમાં શંખ લાવવાનો પણ આગવો મહિમા છે. આ શંખ દીવાળીના પૂજન સમયે વગાડવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને અનિષ્ટ ટળે છે. આ દિવસે મીઠું ઘરમાં લાવીને આ નવું લાવેલું મીઠું-SOLT વાપરવું પણ જોઇએ. આ પ્રકારે મીઠાના ઉપયોગથી વર્ષભર ધનનો અભાવ રહેતો નથી. દિવાળીના દિવસે આ મીઠાનો ઉપયોગ કરી ઘરમાં પાણીના પોતાં કરવાથી દરિદ્રતાનો નાશ થઈ જાય છે.

આ વર્ષે અતિ શુભયોગ

આ વર્ષે જ્યોતિષની દ્રષ્ટિએ જોઇએ તો ગુરુ-ચંદ્રનો ખૂબ સુંદર એવો ગજકેસરી યોગ અને સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ પણ છે. મહાલક્ષ્મીનો વાર મનાતો શુક્રવાર પણ સંયોગ કરી રહ્યો છે. આ બંને યોગ આવનાર વર્ષમાં વેપારીઓ માટે લાભદાયક રહેશે. તેમ જ રવિપુષ્યમાં ખરીદી કરવાની રહી ગઇ હોય તો સોનાચાંદીની ખરીદી માટે આ ધનતેરસ શ્રેષ્ઠ દિવસ બની રહેશે.

આ દિવસે શ્રીમહાલક્ષ્મીઅષ્ટકમ સ્ત્રોત્ર, શ્રીસૂક્તનું પઠન મહાલક્ષ્મીની કૃપા અને પ્રસન્નતા મેળવવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. ધનતેરસના દિવસથી સૌ કોઇ યથાશક્તિ તહેવારોના દિવસોની ઉજવણી શરુ કરે છે. જેમાં પરિવારજનો સાથે ભેગાં મળી લક્ષ્મીપૂજન કરવાથી શુભારંભ થાય છે. ધનતેરસના દિવસથી દીપક પ્રગટાવી ઘરના ખૂણેખૂણાને પ્રકાશમાન કરાય છે. આંગણામાં રંગોળી સજાવાય છે. આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. માતા લક્ષ્મીને મીઠી વાનગીનું નૈવેદ્ય ધરાવાય છે.

ધનતેરસ સાથે જોડાયેલાં કથાનકો

ધનતેરસ સાથે જોડાયેલી યમકથા પણ રસપ્રદ છે. એક દૂતે યમરાજને પ્રશ્ન કર્યો હતો કે અકાળ મૃત્યુથી બચવાનો કોઇ ઉપાય છે… તો યમરાજે કહ્યું હતું કે જો ધનતેરસે સાંજે યમના નામે દક્ષિણદિશામાં દીવો પ્રગટાવીને રાખે તો તેનું અકાળ મૃત્યુ થતું નથી. આ કારણે ભારતભરમાં દીપાવલિપર્વના આ પ્રથમ દિવસથી દીપદાન કરી ઘરના આંગણામાં દીપક પ્રગટાવવાનો મહિમા જોવા મળે છે.

ધનતેરસ પછી આવતી કાળી ચૌદશે દીપદાનનો જે મહિમા છે તેમાં પણ ધનતેરસ સાથે સંકળાયેલું એક કથાનક છે. પુરાણોમાં વર્ણવ્યાં પ્રમાણે  રાજા હિમાના સોળ વર્ષના પુત્રનું તેના લગ્નના ચોથા દિવસે સર્પદંશથી મૃત્યુ થશે એવું પંડિતો દ્વારા ભાવિ ભાખવામાં આવ્યું હતું. સંજોગે આ દિવસ ધનતેરસનો હતો. આ આખો દિવસ રાજકુમારની પત્નીએ તેને ઊંઘવા ન દીધો અને સતત ગાતી રહી. તેમ જ પોતાના રત્નો મઢેલાં ઝવેરાતને પ્રવેશદ્વાર પર મૂકાવી આસપાસમાં ખૂબ જ દીવા કર્યાં અને આખી રાત એ રીતે પતિ સાથે વીતાવી જાગરણ કર્યું. વહેલી સવારે જ્યારે યમરાજ સર્પનું રુપ લઇ રાજકુ